કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સતાઓ ઉપર નિયંત્રણ - કલમ : 475

કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સતાઓ ઉપર નિયંત્રણ

કલમ-૪૭૩માં ગમે તે મજકૂર હોય તે છતા જે ગુના માટે કાયદાથી મોતની સજા એક શિક્ષા તરીકે ઠરાવી હોય તે ગુના માટે કોઇ વ્યકિતને દોષિત ઠયૅ આજીવન કેદની સજા કરવામાં આવે ત્યારે અથવા કોઇ વ્યકિતને કરેલી મોતની સજામાં કલમ-૪૭૪ હેઠળ ઘટાડો કરીને આજીવન કેદની સજા કરવામાં આવી હોય ત્યારે એવી વ્યકિતએ ઓછામાં ઓછી ચૌદ વષૅની કેદ ભોગવ્યા સિવાય તેને જેલમાંથી છોડી મૂકવામાં આવશે નહી.